પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે શ્રી સોમનાથ મંદિરમાં પાલખીપૂજન તથા પાલખી યાત્રા યોજાયેલ
ગુજરાત ભૂમિ, સોમનાથ
શ્રાવણ માસના બીજા સોમવારે શ્રી સોમનાથ મહાદેવને પ્રાત:શૃંગાર વિવિધ પીતાંબર, વિવિધ પુષ્પો, તેમજ ભસ્મનો અલૌકિક શૃંગાર કરવામાં આવેલ. જે દર્શનની ઝાંખી કરી ભક્તોએ ધન્યતા અનુભવી. સાથે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા ઓમ નમ: શિવાયનો નાદગુંજી ઉઠ્યો.

પરંપરાગત રીતે યોજાતી પાલખીયાત્રામાં શ્રી સોમનાથ મહાદેવની પાલખીયાત્રા ને ગુલાબ, કમળ, બિલ્વપત્ર સહિત પુષ્પહાર થી શણગારવામાં આવી હતી.

પાલખીયાત્રા હર હર મહાદેવ અને જય સોમનાથ ના નાદ સાથે મંદિર પરીસરમાં ફરી હતી. આ પ્રસંગે પાલખી પૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર ના હસ્તે કરવામાં આવેલું હતું. જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી, કર્મચારી, તીર્થ પુરોહિત, દર્શનાર્થીઑ પણ જોડાયા અને ધન્યતા અનુભવી.
