દ્વાદશ જ્યોતિર્લિંગ રામકથા ની પાવન પોથી જી સાથે પૂ.મોરારીબાપુ સોમનાથ પહોંચ્યા

Views: 142
0 0

Read Time:2 Minute, 6 Second

ગુજરાત ભૂમિ, સોમનાથ

પૂ.મોરારી બાપુ દ્વાદશ જ્યોતિર્લિંગ માં રામકથા કરવા નીકળ્યા છે, ત્યારે આજરોજ કથાની પુર્ણાહુતી સોમનાથ ખાતે કરવામાં આવી રહી છે. બાપુ સૌ ભક્તો સાથે રેલ્વે દ્વારા વેરાવળ પહોંચ્યા ત્યાંથી સોમનાથ આવેલ હતા. પૂજ્ય બાપુના ઢોલ-નગારા અને ભુદેવો ના મંત્રોચ્ચાર સાથે સોમનાથ માં સ્વાગત કરવામાં આવેલ હતુ. ત્યારબાદ ગંગાજળ અભિષેક પૂજા સામગ્રી સોમનાથ મહાદેવને અર્પણ કરી તેઓ ધન્ય બન્યા હતા. પુજારી શ્રી દ્વારા રુદ્રાક્ષ માળા અને પ્રસાદ કીટ આપી સ્વાગત કરવામાં આવેલ.

મોરારીબાપુ સોમનાથ મંદિર પાસે આવેલ સાગર દર્શન ખાતે પહોંચ્યા જ્યાં તેમનું સ્વાગત સન્માન ટ્રસ્ટી પ્રવીણભાઇ લહેરી એ કરેલ હતું. ત્યારબાદ પૂ.બાપુ ભગવાન શ્રી કૃષ્ણએ ત્યાંથી સદેહ સ્વધામ ગમન કર્યું તે ગોલોકધામ તીર્થમાં પહોચેલ હતા. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની પાદુકા જી ને અભિષેક અને પૂષ્પાર્ચન કરી ધન્ય બન્યા હતા.

બાપુ ગોલોકધામ થી સોમનાથ કથા સ્થળે પહોંચ્યા હતા. જ્યા મોરારીબાપુ નુ પુષ્પહાર સાથે ટ્રસ્ટી પ્રવીણભાઇ લહેરી એ સ્વાગત કરેલ, સાથે જ સોમનાથ મહાદેવની છબી સ્મૃતિ ભેટ આપી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સન્માન કરવામાં આવેલ. શ્રી સોમનાથ મંદિરના મુખ્ય પૂજારી વિજયભાઇ ભટ્ટ તથા તેમની ટીમ દ્વારા મંત્રોચ્ચાર સાથે વિધિવત રામકથાનો પ્રારંભ કરાવેલ હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *