Read Time:1 Minute, 18 Second
ગુજરાત ભૂમિ, ભુજ
સરકારી આયુર્વેદ હોસ્પિટલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડની સામે, સરપટ નાકા, ભુજ – કચ્છ. સમય : સવારે ૯=૦૦ થી ૧૨=૦૦ સુધી તથા સાંજે ૪=૦૦ થી ૬=૦૦ સુધી. દરરોજતેમજ આશાપુરા મંદિર, સોનીવાડ, ભુજ – કચ્છ. ખાતે સમય : સવારે ૯=૦૦ થી ૧૨=૦૦ સુધી તા. ૨૭/૦૩/૨૦૨૩ થી તા. ૦૧/૦૪/૨૦૨૩ સુધી તેમજએસ.ટી. ડેપો, ભુજ – કચ્છ. સમય : સવારે ૯=૦૦ થી ૧૨=૦૦ સુધી.તા. ૨૭/૦૩/૨૦૨૩ થી તા. ૦૧/૦૪/૨૦૨૩ સુધી સિઝનલ ફ્લુ તેમજ કોરાના સંક્રમિત રોગો સામે રક્ષણ મેળવવા તથા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અતિ ઉત્તમ એવા “ સ્વાસ્થ્ય વર્ધક અમૃત પેય ઉકાળો“, જેનું નિ:શુલ્ક ઉપરોકત સમયે પીવડાવવાનું આયોજન કરવામાં આવેલ છે. તો આનો લાભ લેવા વૈદ્ય પંચકર્મ વર્ગ -૧ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ – કચ્છ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.
