ગાંધીનગર ફાયર બ્રિગેડની જાંબાઝી: સતર્કતા અને ત્વરિત કામગીરીથી એક જ સપ્તાહમાં ત્રણ અમૂલ્ય જીવ બચાવાયા

ગાંધીનગર ફાયર બ્રિગેડની જાંબાઝી: સતર્કતા અને ત્વરિત કામગીરીથી એક જ સપ્તાહમાં ત્રણ અમૂલ્ય જીવ બચાવાયા
Views: 1
0 0

Read Time:3 Minute, 58 Second

ગુજરાત ભૂમિ, ગાંધીનગર  

    ગાંધીનગર શહેરી વિસ્તારમાં નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે ફાયર વિભાગ દ્વારા લેવામાં આવેલા આગોતરી સાવચેતીના પગલાં આશીર્વાદરૂપ સાબિત થયા છે. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા વિવિધ વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત કરવામાં આવેલા ‘સ્ટેન્ડબાય’ સ્ટાફ અને તેમની વીજળીક ઝડપે કામગીરીના પરિણામે, ચાલુ અઠવાડિયા દરમિયાન બનેલી અલગ-અલગ દુર્ઘટનાઓમાં ત્રણ વ્યક્તિઓના જીવ બચાવવામાં સફળતા મળી છે.

તાજેતરમાં ધૂળેટીના પર્વે જ્યારે સમગ્ર રાજ્ય ઉત્સવમાં મગ્ન હતું, ત્યારે ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનોએ ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તા. ૦૪/૦૩/૨૦૨૬ના રોજ તહેવારને ધ્યાને રાખી સાબરમતી નદી અને નર્મદા કેનાલ પર ખાસ ‘સ્ટેન્ડબાય ઓન ડ્યુટી’ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ધૂળેટીના પર્વે નર્મદા કેનાલમાં કૂદકો મારનાર મહિલાનો બચાવ

સાંજે અંદાજે ૬:૧૩ કલાકે સુઘડ નર્મદા કેનાલ ખાતે એક મહિલાએ અચાનક કેનાલમાં ઝંપલાવ્યું હતું. ઘટના સ્થળે હાજર ફાયરમેન રાકેશ કટારા અને હરેશ રાવળ પોતાની જાનની પરવા કર્યા વિના કેનાલના ઊંડા પાણીમાં કૂદી પડ્યા હતા અને ભારે જહેમત બાદ મહિલાને સુરક્ષિત બહાર કાઢી હતી. બચાવ બાદ મહિલાને ‘૧૧૨ જનરક્ષક પોલીસ’ ટીમને સોંપવામાં આવ્યા હતા.

સાબરમતી નદીમાં કૂદનાર યુવક માટે દેવદૂત બન્યા ફાયરના જવાનો

બીજી એક ઘટનામાં તા.૦૫ માર્ચના રોજ સવારે ૮:૩૩ કલાકે ૧૧૨ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા વર્ધી મળી હતી કે, ઇન્દિરા બ્રિજ પરથી એક અજાણ્યા શખ્સે સાબરમતી નદીમાં કૂદકો માર્યો છે.

માત્ર બે જ મિનિટમાં, એટલે કે ૮:૩૫ કલાકે ભાટ ફાયર સ્ટેશનથી ટીમ રવાના થઈ હતી. ડ્રાઈવર રોશન કટારા તથા ફાયરમેન સમીરદાન ગઢવી અને મયુરધ્વજસિંહ ચુડાસમાએ તાત્કાલિક સ્થળ પર પહોંચી નદીમાં ડૂબી રહેલા યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. આ યુવકને પણ ત્વરિત બચાવ બાદ જરૂરી કાર્યવાહી માટે ૧૧૨ જનરક્ષક પોલીસને સોંપવામાં આવ્યો હતો. ફાયરની ટીમ સફળ ઓપરેશન બાદ ૯:૨૫ કલાકે પરત સ્ટેશન પહોંચી હતી.

ગાંધીનગર ફાયર વિભાગના જવાનોની આ બહાદુરી ખરેખર પ્રસંશનીય છે.વિભાગના આગોતરા આયોજનને કારણે જ આ સપ્તાહમાં ત્રણ પરિવારોએ પોતાના સ્વજન ગુમાવવાની નોબત આવી નથી. ફાયર વિભાગની આ સક્રિયતા તંત્રની સજ્જતાના દર્શન કરાવે છે.

ઉલ્લેખનીય છે કે,ગાંધીનગર શહેરી વિસ્તારમાં નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે ફાયર વિભાગ દ્વારા લેવામાં આવેલા આગોતરી સાવચેતીના પગલાં આશીર્વાદરૂપ સાબિત થયા છે. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા વિવિધ વ્યૂહાત્મક સ્થળોએ રખાયેલા ‘સ્ટેન્ડબાય’ સ્ટાફ અને ત્વરિત કામગીરીના પરિણામે, ચાલુ અઠવાડિયા દરમિયાન બનેલી દુર્ઘટનાઓમાં ત્રણ વ્યક્તિઓના જીવ બચાવવામાં સફળતા મળી છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *