Read Time:42 Second
ગુજરાત ભૂમિ, નર્મદા
એકતા નગર ખાતે આગામી તા. 30 અને 31મી ઓક્ટોબર-2025ના રોજ સરદાર સાહેબની 150મી જન્મજયંતીના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે જેને અનુલક્ષીને ગુજરાત પ્રવાસન નિગમના સચિવ ડૉ. રાજેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં વહીવટી સંકુલ-એકતાનગર કોન્ફરન્સ હોલમાં બેઠક યોજી સમગ્ર કાર્યક્રમની તલસ્પર્શી વિગતો મેળવી શ્રેષ્ઠ આયોજન માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું.
