માંડવી તાલુકાના ગરીબી રેખા ઉપરના APL રેશનકાર્ડ ધારકો જોગ

Views: 81
0 0

Read Time:1 Minute, 48 Second

ગુજરાત ભૂમિ, ભુજ

માંડવી તાલુકાના ગરીબી રેખા ઉપરના APL રેશનકાર્ડ ધારકોને જણાવવામાં આવે છે કે, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩,તા.૦૧/૦૪/૨૦૧૬થી અમલમાં મુકવામાં આવ્યો છે. જે અન્વયે ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ૭૪.૬ ટકા અને શહેરી વિસ્તારમાં ૪૮.૨ ટકા કુંટુંબોને આવરી લઈને આ કાયદા હેઠળ સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે અને ગુજરાત સરકાર ધ્વારા આ અગાઉ જે “કુટુંબના કોઈ પણ એક સભ્યની માસિક આવક રૂ.૧૦૦૦૦/–( અંકે રૂપિયા દશ હજાર પુરા )” સુધીની હતી. જે આવક મર્યાદા વધારીને રૂ.૧પ૦૦૦/- (અંકે રૂપિયા પંદર હજાર ) અને વાર્ષિક રૂ.૧.૮૦ લાખ (અંકે રૂપિયા એક લાખ એસી હજાર ) સુધી ( ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તાર) જ વધારવામાં આવેલ છે.

તેમજ ત્રણ પૈડા વાળા યાંત્રિક વાહન ધરાવતા (ઓટો રિક્ષા/ છકડો/મીની ટેમ્પો)વાહન ચાલકો જો માસિક રૂપિયા ૧૫૦૦૦/–( અંકે રૂપિયા પંદર હજાર ) કરતાં ઓછી આવક ધરાવતા હોયતો તેઓને પણ રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો – ૨૦૧૩ હેઠળ લાભ મળવા પાત્ર છે. આ ધોરણો મુજબ પાત્રતા ધરાવતા હોય અને NFSA -૨૦૧૩ માં સમાવેશ થયેલો ના હોયતો માંડવી મામલતદાર કચેરીને નિયત નમૂનામાં અરજી કરવા માંડવી મામલતદાર માધુ પ્રજાપતીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *