ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૨૪માં ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સે ૧૯,૦૭૮ કેસ એટેન્ડ કર્યા

ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૨૪માં ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સે ૧૯,૦૭૮ કેસ એટેન્ડ કર્યા
Views: 43
0 0

Read Time:2 Minute, 41 Second

‘૧૦૮’ ની સરાહનીય કામગીરી

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ

          રાજ્યમાં ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. જેના દ્વારા અનેક લોકોના અમૂલ્ય જીવ બચે છે. અનેક અકસ્માતો, હાર્ટ એટેક, મહિલાઓની પ્રસૂતિ સમયે તથા કોરોના મહામારી સહિત કોઈપણ અન્ય આરોગ્ય ઇમરજન્સીમાં મ ૧૦૮ વાન આશીર્વાદ સમાન સાબિત થઈ છે.

ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૧૫ ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેના માધ્યમથી વર્ષ ૨૦૨૪માં કુલ ૧૯,૦૭૮ કેસ એટેન્ડ કરી અને માનવજીવન બચાવ્યાં છે.

જિલ્લા ૧૦૮ ઇમર્જન્સીના અધિકારી વિશ્રુત જોશીએ જણાવ્યું કે, ૧૦૮ ઈમરજન્સી સેવાની ટીમ ૨૪x૭ ઇમરજ્ન્સી સેવા પુરી પાડવા કટીબધ્ધ છે. ૧૦૮ સેવા દ્વારા અનેક લોકોને કટોકટીની પળોમાં મહામૂલી માનવ જિંદગીને બચાવવાની ઉમદા કામગીરી કરી છે અને છેલ્લા ૧ વર્ષમાં ૧૯,૦૭૮ જેટલા લોકોએ આ સેવાનો લાભ લીધો છે.

સૌથી વધુ ગર્ભવતી મહિલાઓના ૭,૪૩૭ કેસ અને અકસ્માતના ૨,૧૨૩ કેસ એટેન્ડ કરાયાં છે. જિલ્લાની ૧૦૮ સેવા કોઈપણ ઈમરજન્સી કે જે સ્વાસ્થ્ય સંબંધિત, ગુના સંબંધીત કે આગ સંબંધીત હોય તો મદદ મેળવવા ૧૦૮ને ચોક્ક્સપણે ફોન કરવા એમણે અનુરોધ કર્યો હતો.

૧૦૮ સેવા ગુજરાતમાં શરૂ કરવા અને સતત સહયોગ બદલ ગુજરાત રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી અને રાજ્યના લોકોએ સભાનતા અને જવાબદારી પૂર્વક આ સેવાનો જરૂરિયાતના સમયે બહોળો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

જિલ્લામાં ૧ આઇસીયુ વાન સહિત કુલ ૧૫ ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ કાર્યરત છે. અલગ અલગ પ્રકારના ૧૯,૦૭૮ કેસ એટેન્ડ કર્યા છે. જેમાં પેટ દર્દના ૧૫૦૧, એલર્જી રિએક્સનના ૩૬, શ્વાસ લેવામાં તકલીફ હોય તેવા ૧,૦૬૪, હૃદય સંબધિત ૧,૨૬૪, ઉચ્ચ તાવના ૫૭૪, પ્રસુતિને લગતા ૭,૪૩૭ તેમજ અન્ય બીમારી અને અકસ્માતના મળી વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધીમાં ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સે કુલ ૧૯,૦૭૮ કેસ એટેન્ડ કર્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *