ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગ સાથે થેલેસિમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાયો

Views: 93
0 0

Read Time:1 Minute, 39 Second

ગુજરાત ભૂમિ, રાજકોટ

        ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિતે રાજકોટ મહાનગરપાલિકા કર્મચારી પરિષદ દ્વારા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન, રાજકોટના સહયોગ સાથે આજે તા. ૦૧-૦૫-૨૦૨૩ના રોજ ડૉ. આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજના કરવામાં આવ્યું હતું, જેમાં બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં ૬૧ થી વધુ મહાનગરપાલિકાના અધિકારીઓ / કર્મચારીઓએ બ્લડ ડોનેટ કર્યું કયું. મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર આનંદ પટેલ દ્વારા બ્લડ ડોનેટ કરનાર રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ / કર્મચારીઓનું અભિવાદન કર્યું હતું.

        રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર અનિલ ધામેલિયા, સુરક્ષા અધિકારી આર. બી ઝાલા, આસી. મેનેજર વત્સલ પટેલ સહિતના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા થેલેસિમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ કરી બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું હતું. આ કેમ્પમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તમામ કર્મચારીઓના પ્રાથમિક આરોગ્યની પણ ચકાસણી કરી આપવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *