મોટર સાયકલ વાહનના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓકશન કરાશે

Views: 95
0 0

Read Time:4 Minute, 13 Second

ગુજરાત ભૂમિ, ભુજ

        આર.ટી.ઓ કચેરી, ભુજ દ્વારા (૨-વ્હીલર) મોટર સાયકલના ગોલ્ડન, સિલ્વર, નંબરોની સિરિઝ GJ-12-ER, GJ-12-EQ, GJ-12-EP, GJ-12-DL, GJ-12-DN, GJ-12-DP, GJ-12-DQ, GJ-12-DR, GJ-12-EA, GJ-12-EB, GJ-12-EC,  GJ-12-ED, GJ-12-EG, GJ-12-ED, GJ-12-EF, GJ-12-EH, GJ-12-EJ, GJ-12-EK, GJ-12EM, GJ-12-EN નું રી-ઓકશન શરૂ કરવામાં આવનાર છે.

રી-ઓકશનની પ્રક્રિયા ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો તા.૧૬/૩/૨૦૨૩ના સાંજે ૧૬ કલાકે, ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૧૮/૩/૨૦૨૩ના સાંજે કલાક સુધી, ઈઓકશન શરૂ તા. ૧૮/૩/૨૦૨૩ના સાંજે ૧૬ કલાક સુધી, ઈઓકશન સમાપ્તિની તા.૨૦/૩/૨૦૨૩ના સાંજે ૪ વાગ્યા સુધી, સુવર્ણ-ગોલ્ડન નંબર માટે ફીના દર રૂ.૮૦૦૦, રજત-સીલ્વર નંબર માટે ફીના દર રૂ.૩૫૦૦ અને અન્ય માટે ફીના દર રૂ.૨૦૦૦ રહેશે. જાહેર કરેલા નંબરોમાંથી જે નંબર ઓનલાઇન ઉપલબ્ધ હશે તે નંબર મેળવી શકાશે.  પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવા http://parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર કમિશરની કચેરીના પરિપત્ર ક્રમાંક નં. આઇ.ટી./પસંદગી નંબર/Online auction/7421, તા.૧૨/૧૦/૨૦૧૭ Appendix-A(આ સાથે સામેલ છે)ની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસની અંદર www.parivahan.gov.in વેબસાઇટ પરથી CNA ફોર્મ ભરી લેવાનું રહેશે( Process Flow સામેલ છે.) આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઇસનો કોઇ નંબર નહી મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહી. તો અરજી તારીખથી ગણતા ૬૦ દિવસ એટલે કે છેલ્લા દિવસે રજીસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પધ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. જેની સામે અરજદારશ્રી કોઇ વાંધો લઇ શકશે નહી.

        ખાસ સ્પષ્ટતા કરવાની કે, આ ૬૦ દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓકશનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. ૬૦ દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધી પ્રમાણપત્રની ૩૦ દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઇ જોગવાઇ નિયમોમાં કરવામાં આવેલી નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પુરૂ થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે તેમજ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

        અરજદારએ હરાજીની પ્રક્રિયા પુરી થયાના ૫ દિવસમાં બીડ અમાઉન્ટના નાણા જમાં કરાવવાના રહેશે. અરજદાર જો આ નિયત મર્યાદામાં નાણા ચૂકવવામાં નિષ્ફળ જશે તો મુળ ભરેલી રકમ(Base price)ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે, જેમાં અરજદાર કોઇ વાંધો લઇ શકશે નહી. ઓનલાઇન ઓકશન દરમિયાન અરજદારએ આર.બી.આઇ. દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારએ રિફંડ માટે જે તે અરજદારના ખાતામાં SBI e-pay દ્વારા અત્રેની કચેરી દ્વારા પરત કરવામાં આવશે તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *