Read Time:1 Minute, 3 Second
ગુજરાત ભૂમિ , મેંદરડા
માનવસેવા એ જ પ્રભુ સેવા ની પ્રવૃત્તિ ના ભાગરૂપે જિલ્લા અંધત્વ નિવારણ કાર્યક્રમ અંતર્ગત નથવાની ચેરીટેબલ ટ્રસ્ટ મેંદાણા દ્વારા આયોજિત વિનામૂલ્ય નેત્રમણી આરોહણ અને નેત્ર નિદાન સારવાર યજ્ઞ અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર મેંદરડા મારફત યોજાયો. જેમાં એનસીડી સેલ દ્વારા આ કેમ્પમાં આવતા તમામ લાભાર્થીઓને સ્થળ પર ડાયાબિટીસ તથા બીપીનું નિદાન ઉપલબ્ધ બની રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. એનસીડી સેલ મારફત મેંદરડા કાઉન્ટર વિજયભાઈ મારુ, સ્ટાફનર્સ મુદ્રિકાબેન મેસવાણિયા દ્વારા આ કેમ્પ ને સફળ બનાવવા પ્રયત્ન કરેલ.
રિપોર્ટર : પ્રવીણ નાગ્રેચા, મેંદરડા
